tet 2 samajik vigyan rely
ગુજરાતમાં 4700 શાળાઓમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક નથી, છતાં ભરતી થતી નથી !
18મીએ ગાંધીનગરમાં ટીઇટી-2 પાસ સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને ઉમટી પડવા હાકલ
રાજકોટ, તા. 11 : રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 6થી 8માં ઉચ્ચવિદ્યા સહાયક તરીકે, ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના એક-એક શિક્ષક હોવા ફરજિયાત હોવા છતાં ગુજરાતની 4700 શાળાઓ એવી છે, જેમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક જ નથી ! વળી, આ ખોટ પૂરી કરવા સરકાર બહુ ગંભીર પણ જણાતી ન હોવાથી ઉમેદવારોમાં ભારે કચવાટ ફેલાયો છે અને ઉપવાસ આંદોલન કરીને પોતાની સમસ્યાને વાચા આપવા નક્કી કર્યુ છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1થી 5 અને 6થી 8 ધોરણના બન્ને વિભાગ પાડયા બાદ ઉચ્ચ પ્રાયમરી વિભાગમાં સામાજિક વિજ્ઞાન વિષયની છેલ્લા 2 વર્ષથી ભરતી જ થઇ નથી ! રાજ્ય પરીક્ષા બોર્ડે ઝઊઝ-2 ની બે વખત પરીક્ષા લીધા બાદ પણ ભરતી માટેની જાહેરાત આપી નથી અનેક વખત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રાથમિક શિક્ષણ નિયામકને આવેદનપત્ર પાઠવી ભરતી માટેની માંગ કરી છે પણ પરીણામ શૂન્ય આવે છે. રાજ્યમાં 12,000થી પણ વધારે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ હોવા છતાં નજીકના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર ભરતી કરે તો પણ 700થી 800ની ભરતી કરવાના સમાચાર હોવાથી 18 નવેમ્બર -2014ના દિવસે બપોરે 11 વાગ્યા સુધીમાં પથિકાશ્રમ, ઉપવાસ છાવણી ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ ઝઊઝ-2 પાસ સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો પોતાની નૈતીક જવાબદારી સમજી પહોંચી જવા જણાવાયું છે ત્યાં આર.સી. રાવલને આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે ત્યાર બાદ રેલી કાઢી સુત્રોચ્ચાર દ્વારા અન્યાયને ઉજાગર કરવામાં આવશે. જરૂર પડશે તો ઉપવાસ પર પણ બેસવામાં આવશે. વધુને વધુ લોકો આ આંદોલનમાં જોડાય તેવું સામાજિક વિજ્ઞાન વિષયના આગેવાન તથા આમ આદમી પાર્ટીના કાર્યકતા જયદીપ દેવમુરારીએ જાહેરમાં અપીલ કરી છે. વધુ વિગત માટે તેમનો (90330 85185 ) સંપર્ક કરવા જણાવાયું છે.